Umashankar Joshi ~ પ્રાસંગિક ઉમાશંકર 
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
In his own Handwriting

umashankarjoshi.in>WORKS & VIEWS> Prasangik Umashankar

પ્રાસંગિક ઉમાશંકર

1948 જૂન
સામ્યવાદીઓ જ આદર્શ રૂપે રહેશે?

અમદાવાદીઓ મગરૂરીથી કહે છે કે અમારા અમદાવાદમાં એક અમદાવાદ સિવાય બીજો કોઈ વાદ ચાલે જ નહિ. હમણાં ગુજરાત પ્રાન્તિક સમાજવાદી પક્ષની કારોબારી-સમિતિના સભ્ય તરીકે અહીંના એક ધનકુબેરના સેવક ચૂંટાયા ત્યારે એ મગરૂરીમાં વજૂદ છે એમ લાગ્યું. હિંદી સામ્યવાદીઓ એમની રશિયાપરસ્તીને લીધે આપણું દિલ જીતી શકતા નથી, પણ એ સાચા માર્ક્સવાદી છે એનું પ્રમાણપત્ર એમણે મૂડીવાદ પાસેથી જરૂર મેળવ્યું છે. સામ્યવાદીઓનું નામ પડતાં મૂડીવાદને કાળજે (જો એવું કાંઈ હોય તો) તેલ રેડાય છે. સ્તાલિનશાઈ માર્ક્સવાદીઓ કરતાં વધુ શુદ્ધ માર્ક્સવાદી તરીકે ઝળકવા માટે મૂડીવાદની તહેનાતમાં રહેવું જરૂરી છે? મૂડીવાદના હાથ ઓછા મજબૂત છે કે એના હાથા બનવાની વળી જરૂર રહે? ગુજરાતના નવજુવાનોના મનમાં સમાજવાદ વિષે બુદ્ધિભેદ નહિ થાય? સામ્યવાદીઓ જ શું આ બાબતમાં એમને આદર્શરૂપ રહેશે?...

 

This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]